કિર્તેશ પટેલ, સુરત : એક તરફ લોકો કોરોનાના કહેરનો સામનો કરી રહ્યા છે અને લોકો પોતાના માં-બાપની ખાસ કાળજી લઇ રહ્યા છે.. તો બીજી તરફ જહાંગીરપુરામાં કળિયુગી દીકરાનું કારસ્તાન સામે આવ્યું છે. આ દીકરાએ જુદા રહેવા માટે પોતાના વૃદ્ધ પિતાને માર મારીને રાત્રે કર્ફ્યુના સમયમાં ઘરમાંથી કાઢી મુક્યા હતા. જો કે પોલીસે માત્ર 3 મિનિટમાં પહોંચી જઈ આ વૃદ્ધને આશરો આપ્યો હતો અને ત્યારબાદ પુત્ર અને પુત્ર વધુ સાથે કાઉન્સિલિંગ કરીને સુલેહ કરાવી હતી. અને ત્યારબાદ પોલીસ આ વૃદ્ધની રોજ ખબર પુછે છે. જો કે પોલીસની આ કામગીરીને લઈ પોલીસ કમિશ્નર દ્વારા તેને ઇનામ આપ્યું હતું.